Wednesday, December 30, 2009

ઉમરો અથવા ઉમરડો (Cluster Fig Tree [Ficus Racemosa])

 Ficus કુળ નું આ વૃક્ષ એના કુળ ના બીજા વૃક્ષોથી એ રીતે અલગ પડે છે કે આ વૃક્ષના ફળ એની ડાળીઓ પર પણ ફૂટે છે. ઉમરાને તોડવાથી કે કાપવાથી દુધ જેવું સફેદ દ્રવ નીકળે છે. તેને અંજીર જેવાં જ ફળ આવે છે. તે પાકે ત્યારે ખાઈ શકાય. તેનું શાક પણ કરી શકાય. વાંદરા અને વિવિધ જાતિના પક્ષીઓ ને આ વૃક્ષના ફળ ખુબ આકર્ષે છે.
 
ફળ અને વૃક્ષ બંને એકજ નામથી ઓળખાય છે.  પાકા ફળોની અંદર સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જીવાત જોવા મળે છે અને તેને લીધેજ આ વૃક્ષને જીવાત્મા કે પિતૃઓ નું સ્થાન માનવામાં આવે છે અને કહે છે કે આ વૃક્ષની નીચે બેસીને કરેલ પિતૃ તર્પણની વિધિ ઉત્તમ ફળ આપે છે.

આ વૃક્ષના કેટલાક આયુર્વેદિક ઉપયોગો આ લીંક પર આપેલા છે.
 

Wednesday, November 11, 2009

ખીજડો [Prosopis cineraria]

વૈજ્ઞાનિક નામ: Prosopis cineraria

ગુજરાતમાં ખીજડા ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા વૃક્ષ ઘણાં થાય છે. Prosopis કુળનું વૃક્ષ હોવાનાં કારાણે કાંટાળું તો હોવાનું જ.

પાંડવોએ આ વૃક્ષ પર તેમના વનવાસ દરમ્યાન પોતાના સશ્ત્રો સંતાડી રાખ્યા હતા એવી માન્યતાને કારણે, ગુજરાતમાં ઘણી જગ્યાએ દશેરાના દીવસે, સશ્ત્રપુજનની સાથે સાથે આ વૃક્ષની પણ પુજા થાય છે.

આ વૃક્ષના મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાજેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્‍પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે

Thursday, October 1, 2009

શિરીષ (East Indian walnut [Albizia lebbeck])

ગુજરાતી ભાષામાં શિરીષ ના નામે ઓળખાતું આ વૃક્ષ અંગ્રેજીમાં East Indian walnut, frywood, Indian siris, koko, lebbek tree, raom tree, woman's tongue વગેરે નામોથી ઓળખાય છે. જ્યારે તેનું વૈજ્ઞાનિક નામ Albizia lebbeck છે.


આ વૃક્ષની શીંગો પાકી જાય ત્યારે શીંગોમાંથી સતત આવતા ખખડવાના અવાજને લીઘે અંગ્રેજી ભાષામાં woman's tongue નામ પડ્યું છે.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આ વૃક્ષના પાનનો સ્નાનના પાણીમાં નાખીને ઉપયોગ કરવાથી જાતકનો શુક્ર ગ્રહ સુધરે છે. 
આ વૃક્ષની ઉંચાઇ વધીને ૩૦ મીટર સુધી જઇ શકે છે. ફાલવા માટેની જગ્યા વધારે મળે તો એ પોતાનો ઘેરાવો ૩૦ મીટર સુધી વધારી શકે છે પણ તે સંજોગોમાં તેની ઉંચાઇ ૨૫ મીટરથી વધતી જોવા મળતી નથી.
ફેલાવો: આ વૃક્ષ સામાન્યપણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, દક્ષીણ ચીન, ઊત્તર-પુર્વીય થાઇલેન્ડ, અને મલેશીયામાં જોવા મળે છે.
આ વૃક્ષના સારા પાસા નીચે પ્રમાણે છે.
  • મોટુ થયા પછી પાણીની અછત દરમ્યાન પણ જીવી શકે છે.
  • જમીનની ઘણાબધા વિતૃત પ્રકારની pH સહન કરી શકે છે.
  • જમીનની ખારાશ ને સહન કરી શકે છે.
  • રોગ ઓછા પ્રમાણમાં થાય છે.
 આ વૃક્ષની મર્યાદાઓ નીચે પ્રમાણે છે.
  • ચીકણી જમીન માફક નથી આવતી.
  • વૃક્ષ નાનું હોય ત્યારે અતિશય ઠંડી / હીમ પડે તો તે જીરવી શકતું નથી.
  • પાણી ભરાઈ રહેતું હોય તો તેવી જગ્યા માફક આવતી નથી.

Tuesday, September 1, 2009

વૃક્ષો અને જ્યોતિષ વિજ્ઞાન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાક વૃક્ષો નક્ષત્રો સાથે સંકળાયેલા છે. જેની વિગતે માહિતી અહી આપેલી છે.